Monday, December 26, 2011

સક્કરબાગને છ સિંહબાળની ભેટ આપનાર સાવજનું મોત

26-12-2011
સક્કરબાગને છ સિંહબાળની ભેટ આપનાર સાવજનું મોત
Sandesh – Rajkot
http://www.sandesh.com/article.aspx?newsid=21587

જૂનાગઢ સક્કરબાગ ઝૂ ને છ સિંહબાળની ભેટ આપનાર નવ વર્ષના આક્રમક ગણાતા એવા સિંહનું ગઈકાલે ૩પ દિવસની લાંબી બિમારીના અંતે મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂ ના નવ વર્ષના સિંહ 'દક્ષ'નું ન્યુમોનીયા અને ફેફસાના ચેપના કારણે લાંબી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું છે. આ સિંહને થોડા વર્ષો પહેલાં ગિર જંગલના દેવળીયા વિસ્તારમાંથી તેની વધુ પડતી આક્રમકતાના કારણે પકડીને જૂનાગઢ ઝૂ માં કેદ કરવામાં આવ્યો હતો. એ સમયમાં આ સિંહની તંદુરસ્તી અને વધુ સારા સિંહ બાળ મેળવવાની એક પ્રક્રિયાના ભાગ રૂપે જુદી જુદી સિંહણો સાથે સંવનન કરાવાયા બાદ તેનાથી જૂનાગઢ ઝૂ માં છ બચ્ચાઓની ભેટ મળી છે. આ સિંહ આશરે સવા મહિના પહેલાં બિમાર પડતા અને તેને ન્યુમોનીયા અને ફેફસાનું ઈન્ફેક્શન થયાનું ડોક્ટરની તપાસમાં બહાર આવતા સ્થાનિક તબીબોની સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે આણંદથી બોલાવાયેલા વેટરનરી તબીબ દ્વારા પણ સધન સારવાર આપવામાં આવી હતી. પરંતુ ૩પ દિવસ જેવી લાંબી સારવારના અંતે પણ આ સિંહને બચાવી શકવામાં સફળતા મળી નથી. અને ગઈકાલે મોડી સાંજે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું સક્કરબાગ ઝૂ ના ડારેક્ટર વી.જે.રાણાએ જણાવ્યું છે.

No comments:

Previous Posts