Tuesday, December 13, 2011

તાલાલા ગીરમાં વનરાજાઓનાં ટોળાનો આતંક

13-12-2011
તાલાલા ગીરમાં વનરાજાઓનાં ટોળાનો આતંક
Divya Bhaskar By Manish Trivedi, Rajkot
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-2084-2636751.html?HF=

- સાંગોદર ગામ નજીક બે ગાયનું મારણ કર્યું
- ખેતીની સિઝન દરમિયાન સાવજોનાં આતંકથી ખેડૂતોમાં ફફડાટ

જુનાગઢ જિલ્લાનાં તાલાલા ગીરમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ તેમજ દિપડાઓએ તરખાટ મચાવ્યો છે. વધુ એક બનાવમાં ગીરનાં સાંગોદર ગામમાં ગત મોડી રાત્રે સાવજોનું ટોળુ ધસી આવ્યું હતુ.

સાવજોનું ટોળુ ગામમાં ધસી આવતાની સાથે જ ગાય-ભેંસોમાં નાસભાગ મચી ગઇ હતી. પરંતુ સાવજો પાસે અબોલ જીવો લાચાર બની ગયા હતા. સાવજોનાં ટોળાએ બે ગાયને દબોચી લઇ ગામ વચ્ચે બેસી આરામથી મારણ કર્યું હતુ.

હાલ ખેતીની સિઝન ચાલી રહી છે, બીજી તરફ સિંહ તેમજ દિપડાઓએ આતંક મચાવતા ગ્રામજનો વાડી-ખેતરે જતાં પણ ગભરાઇ રહ્યાં છે.

No comments:

Previous Posts